ગુજરાત આદિજાતિ વિકાસ નિગમની રચના ઓક્ટોબર 1972માં થઈ હતી. તેનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતની અનુસૂચિત જનજાતિની વસતિના સામાજિક-આર્થિક સ્તરના વિકાસ સંબંધિત જે કંઈ કાર્યક્રમો હોય તે હાથ ધરવાનો હતો. આ ઉપરાંત, ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ ડેરી વિકાસ કાર્યક્રમ, કૃષિ વિકાસ કાર્યક્રમ, ખેત ઉત્પાદનો માટે બજાર પ્રવૃત્તિ, અને તેનો સંગ્રહ, નાના પાયાપરના ઉદ્યોગો, આવાસોનું બાંધકામ અને અન્ય કોઈપણ આર્થિક ક્રાયક્રમો જે આદિજાતિ વસતિના કલ્યાણ માટે હોય તે હાથ ધરવાનો ઉપક્રમ છે.