વ્યક્તિગત આવાસો | આરોગ્ય અને આવાસ | રાજ્યકક્ષાની યોજનાઓ | કાર્યક્રમો અને યોજનાઓ | આદિજાતિ વિકાસ કમિશ્નર
  • વિહંગાવલોકન | અનુસૂચિત જનજાતિના પરિવારો માટે પાકાં રહેવાના મકાનોની સુવિધા નથી. સરસ જીવન માટે આવા પાકા મકાન જરૂરી છે.
  • ઉદ્દેશ | અનુસૂચિત જનજાતિના પરિવારોની આવાસોની સમસ્યા હળવી બનાવવી.
  • પ્રારંભ | ૧૯૮૯ (૦૭/૦૮/૧૯૮૯)
  • ભાગીદારી સંસ્થા | કોઈ નહિ
  • ભૌગોલિક ભૂમિભાગ | તમામ જિલ્લાઓ
  • અપેક્ષિત લાભાર્થીઓ | જેમના ઘર જીર્ણ થઈ ગયા છે તેવા અથવા જેમને રહેવા માટે ઘર નથી. તેવા પરિવારો.
  • પાત્રતા માપદંડ | ગ્રામ વિકાસ વિભાગે બનાવેલ અને વખતોવખત પ્રસિધ્દ્વ થતી પ્રવર્તમાન બી.પી.એલ.યાદી મુજબ
    1. જાતિ તથા આવકનો સક્ષમ અધિકારીનો દાખલો
    2. મકાન બાંધાકામમાટે રજા ચિઠ્ઠિ, આકારણી પત્રક
    3. ૭/૧૨ તથા ૮/અ ના ઉતારાની નકલ
    4. બીજી આવાસન યોજનામાં લાભ લીધેલ નથી તે બાબતેનું બાહેધરી પત્રક
    5. તાલુકા વિકાસ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર
    6. રેશન કાર્ડની નકલ
    7. અધારકાર્ડની નકલ
    8. બેંક પાસ બુકની નકલ
    9. પોતાની જમીનની માલિકી હોવી જોઇએ દરેક વ્યક્તિને ઘર બનાવવા માટે પોતાની માલિકીની જમીનનો પ્લોટ હોવો જરૂરી છે.
    10. ૦ થી ૨૦ ગુણાંક ધરાવતા બી.પી.એલ યાદીમાં સમાવિષ્ટ લાભાર્થીઓને કેંદ્ર પુરસ્કૃત ઈન્દીરા આવાસ યોજના હેઠળ આવરી લેવાના રહેશે. જ્યારે ૦ થી ૨૦ ગુણાંક ધરાવતાં ન હોય અને આ યોજનાની અન્ય શરતો પરિપૂર્ણ કરતા હોય તેવા કિસ્સામાં સહાય ચુકવવાની રહેશે
  • યોજના નીચેના લાભ | રાજ્ય સરકાર મકાન બાંધકામ માટે રૂ. ૧,૨૦,૦૦૦સુધીની સહાય ઉપલબ્ધ કરશે. આવાસ દીઠ રૂ.૧,૨૦,૦૦૦/-( અંકે રૂપીયા એક લાખ વીસ હજાર પૂરા) ચૂકવવામાં આવે છે. તા.૨૫/૦૬/૨૦૧૮ના ઠરાવથી રૂ!.૭૦,૦૦૦ થી વધારીને રૂ!.૧,૨૦,૦૦૦ની મકાન સહાય આપવામાં આવે છે.
સંબંધિત લીંક
સંબંધિત કડીઓ
News and Events