અત્યાચાર કેસો નાણાકીય સહાય | બંધારણીય સુરક્ષા | આદિજાતિ વિકાસ કમિશ્નર



એટ્રોસીટી સેલ શાખા


અનુસુચિત જાતિ/ અનુસુચિત જન જાતિ (અત્યાચાર નિવારણ)

અધિનિયમ-૨૦૧૫

જાહેરનામા-૨૦૧૬

કમિશનર,

આદિજાતિ વિકાસ

ગુ.રા, ગાંધીનગર

 

અનુ.જાતિ /અનુ.જનજાતિ ( અત્યાચાર નિવારણ ) અધિનિયમ -૧૯૮૯ તથા  અનુજાતિ /અનુ.જનજાતિ ( અત્યાચાર નિવારણ ) નિયમો-૧૯૯૫ અન્વયે લગતી નોંધ:
અનુજાતિઓ અને અનુ જન જાતિઓ ઉપર અનુજાતિઓ અને અનુ જન જાતિઓ સિવાયના ઇસમો દ્વારા આચરવામાં આવતા અત્યાચારો રોકવા માટે ભારત સરકારશ્રીએ તા. ૩૧/૩/૧૯૯૦થી અનુ.જાતિઓ અને અનુ.જનજાતિઓ ( અત્યાચાર નિવારણ ) અધિનિયમ -૧૯૮૯ અમલમાં મુકેલ છે. તા. ૩૧/૧૨/૨૦૧૫થી અનુ.જાતિઓ અને અનુ.જનજાતિઓ ( અત્યાચાર નિવારણ ) સુધારણા અધિનિયમ – ૨૦૧૫  તા૧-૧-૨૦૧૬થી ગેઝેટ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
અનુ.જાતિ/અનુ.જનજાતિ ( અત્યાચાર નિવારણ ) અધિનિયમ -૧૯૮૯ની કલમ ૨૩ની પેટા કલમ (૧) મુજબ મળેલ સત્તાની રૂએ ભારત સરકાર દ્વારા અનુ.જાતિ /અનુ.જનજાત(અત્યાચાર નિવારણ) નિયમો-૧૯૯૫ ઘડાયેલ છે. જે તારીખ ૩૧-૩-૧૯૯૫થી અમલમાં આવેલ છે.
ઉદેશો
અનુ.જાતિઓ અને અનુ.જનજાતિઓની સામાજીક આર્થિક સ્થિતિ સુધારવા પગલાં લેવાયેલ હોવા છતાં તેઓ સહાય પાત્ર રહ્યા છે, તેમના સંખ્યાબંધ નાગરિક હક્કો નકારાય છે.તેમને અનેક ગુના/અપમાનો/અનાદર અને કનડગત ભોગવવી પડે છે, કેટલાક કૃર બનાવોમાં તેઓને તેમની  જીદંગીથી અને મિલ્કતોથી વંચીત કરવામાં આવે છે. શિક્ષણ નો વ્યાપ અને અન્ય માધ્યમોના પ્રચારથી અનુ.જાતિઓ અને અનુ.જનજાતિઓ માં જાગૃતિ પેદા થતાં તેમના હક્કોનો દાવો કરવા પ્રયત્ન કરે છે ત્યારે બીજા આ બાબત શીખી લેતા નથી અને સ્થાપિત હિતો તેઓને કચડી નાંખે છે અને તેમના ઉપર જુલમ ગુજારે છે. આથી અનુજાતિઓ અને અનુ જન જાતિઓ સામે અનુ.જાતિઓ અને અનુ.જનજાતિઓ સિવાયના ઇસમો દ્વારા આચરવામાં આવતા અત્યાચારના ગુના થતાં અટકાવવા માટે આવા ગુનાની ઇન્સાફી કાર્યવાહી માટે ખાસ ન્યાયાલયોની રચના કરેલ છે. અત્યાચારના ભોગ બનેલ ઇસમ /પરિવારને રાહત અને પુનઃસ્થાપન માટેની તેની સામે સંકળાયેલી અથવા તેને આનુંસાંગિક બાબતો માટેની જોગવાઇ કરવામાં આવેલ છે અને અત્યાચારનો ભોગ બનેલ ઇસમ /પરિવારને જુદા જુદા દરે સહાય આપવાના ધોરણો સુચવ્યા છે. જે સહાયના ધોરણો રાજ્ય સરકારે સ્વીકારીને સરકારશ્રીના સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગના તા.૧૮-૧૧-૯૫ના ઠરાવ ક્રમાંક હસલ/૧૦૯૪/આઇ -૨૪/ હ સેલ મુજબ તા.૩૧/૩/૧૯૯૫થી સહાય આપવાનું ઠરાવેલ ત્યારબાદ ભારત સરકારના તા.૧૬/૪/૨૦૧૬ ના જાહેરનામા મુજબ સહાયના ધોરણોના દરમાં સુચવેલ સહાયના ધોરણો નક્કી કરાયેલા છે.

નોંધ: ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ માં કુલ રૂ.૧૭૫૯.૯૮ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

 

(૧)

કોઇપણ અખાધ્‍ય અથવા અણગમતા/ખરાબ પદાર્થ મૂકવા  કલમ-૩(૧)(એ) 

ભોગ બનનારને રૂ.૧ લાખ નીચે પ્રમાણે ચુકવવામાં આવશે –

 

(૧) ક્રમ નં ૨ અને ૩ માટે ૧૦ % રકમ  એફ.આઇ.આર. નોંધાયેથી અને ક્ર્મ નં ૧, ૪, અને પ માટે ૨૫% રકમ એફ.આઇ.આર. નોંધાયેથી

 

(૨) ૫૦ % રકમ ચાર્જશીટ કોર્ટમાં રજુ થયેથી

 

(૩) ક્રમ નં ૨ અને ૩ માટે ૪૦ % રકમ- નીચલી અદાલત દ્વારા આરોપી  દોષીત ઠરાવવમાં આવ્યેથીતેમજ ક્ર્મ નં ૧, ૪, અને પ માટે ૨૫% રકમ- નીચલી અદાલત દ્વારા આરોપી દોષીત ઠરાવવમાં આવ્યેથી

(ર)

મળ, મુત્ર, પ્રાણીના બગડી ગયેલ પદાર્થ, પશુના મડદા અથવા અન્‍ય કોઇ ખરાબ પદાર્થ નાખવા કલમ-૩(૧)(બી) 

(૩)

હાની, અપમાન કે ત્રાસ કરવાના આશયથી મળમૂત્ર, પ્રાણીના બગડી ગયેલ પદાર્થ, પશુના મડદા અથવા અન્‍ય કોઇ ખરાબ પદાર્થ તેમના પર નાખવા  કલમ-૩(૧)(સી)

(૪)

પગરખાના હાર પહેરાવવા અથવા નગ્‍ન/અર્ધનગ્‍ન પરેડ કરાવવી કલમ-૩(૧)(ડી)

(૫)

બળજબરી પુર્વક કોઇ દબાણ કરવું જેમ કે વ્‍યકિતના કપડા દૂર કરવા, માથાનું મૂંડન કરવું, મૂછો દૂર કરવી, ચહેરા અને શરીર પર ચિત્રામણી કરવી  કલમ-૩(૧)(ઇ)

 

(૬)

જમીનનો ગેરકાયદે ભોગવટો કરવો અથવા તેમાં ખેતી કરવી કલમ-૩(૧)(એફ)

રૂ.૧ લાખ ભોગ બનનારને ચુકવવામાં આવશે.

રાજ્ય સરકાર/ કેન્દ્ર શાષિત વહિવટ દ્વારા કોઈ જમીન/જગ્યા ખાતે જરૂરી પાણી પુરવઠો –સીંચાઇ સુવિધા સરકારી ખર્ચે ચાલુ કરવો.

૨૫ % - એફ.આઇ.આર. વખતે

૫૦ % - ચાર્જશીટ ફાઇલ થાય ત્‍યારે

૨૫ % નામ.કોર્ટ (નીચલી) સજા ફરમાવે પછી.

(૭)

જમીન કે જગ્‍યાના કબજામાંથી ગેરકાયદે હટાવવા અથવા કોઇ જમીન, જગ્‍યા અથવા પાણી બાબતે તેમજ જંગલ અધિકારો અને સિંચાઇ સુવિધાના હક્કો ભોગવવામાં દખલગીરી કરવી  કલમ-૩(૧)(જી)

(૮)

ભીખ મંગાવવી, કોઇ ફરજીયાત સેવા સિવાય વેઠ કરાવવી અથવા તેવા પ્રકારની બીજી બળજબરી પુર્વકની કે બંધનયુકત મજૂરી કરાવવી કલમ-૩(૧)(એચ) 

ભોગ બનનારને રૂ.૧ લાખ નીચે પ્રમાણે ચુકવવામાં આવશે

૨૫ % - એફ.આઇ.આર. વખતે

૫૦ % - ચાર્જશીટ ફાઇલ થાય

ત્‍યારે

૨૫ %  નામ. કોર્ટ (નીચલી) સજા ફરમાવે પછી.

(૯)

માનવ અથવા પ્રાણીના બગડી ગયેલ પદાર્થ/મડદાનો નિકાલ કરવા અથવા કબર ખોદવા અંગે ફરજ પાડવી

કલમ-૩(૧)(આઇ)

(૧૦)

અનુસૂચિત જાતિના સભ્‍ય અથવા અનુસુચિત જનજાતિના સભ્‍યને જાત સફાઇ-કામગીરીમાં સાંકળવા તેમજ આવા હેતુ માટે રોજગારી અંગેની પરવાનગી અથવા મંજુરી આપવી કલમ-૩(૧)(જે)

(૧૧)

અનુસૂચિત જાતિના સભ્‍ય અથવા અનુસુચિત જનજાતિની મહિલાને દેવદાસી અથવા અન્‍ય પ્રકારની સમાન પ્રથા માટે સમર્પિત કરવી અને પ્રોત્‍સાહન આપવું. કલમ-૩(૧)(કે)

(૧૨)

મતદાન ન કરવા તેમજ ઉમેદવારી ફોર્મ ન ભરવા દેવું

કલમ-૩(૧)(એલ) 

ભોગ બનનારને રૂ.૮૫,૦૦૦/- નીચે પ્રમાણે ચુકવવામાં આવશે

૨૫ % - એફ.આઇ.આર. વખતે

૫૦ % - ચાર્જશીટ ફાઇલ થાય ત્‍યારે

૨૫ %  નામ. કોર્ટ (નીચલી) સજા ફરમાવે પછી.

(૧૩)

પંચાયતના સભ્‍ય, અધ્‍યક્ષ અથવા કોઇ હોદ્દેદારને તેમની સામાન્‍ય ફરજો અને કાર્યો કરવામાં બળજબરી કરાવવી અથવા ડરાવવા, અવરોધવા

કલમ-૩(૧)(એમ)

(૧૪)

મતદાન કર્યા પછી સામાજીક અથવા આર્થિક બહિષ્‍કા કરવો કલમ-૩(૧)(એન)

(૧૫)

મતદાન કર્યા અંગે અથવા કોઇ ચોક્કસ ઉમેદવારને મત ન આપવા અંગેઆ અધિનિયમ હેઠળ કોઇ ગુનો આચરવો કલમ-૩(૧)(ઓ) 

(૧૬)

કોઇ ખોટી, દ્વેષપુર્ણ અથવા સંતાપક દાવો અથવા અન્‍ય કોઇ કાયદાકીય/કાનૂની કાર્યવાહી કરવી.

કલમ-૩(૧)(પી)

ભોગ બનનારને રૂ.૮૫,૦૦૦/- અથવા વાસ્તવમાં થયેલ કાનુની ખર્ચ અને નુકશાનીની ભરપાઈ – આ બન્નેમાંથી જે ઓછું હોય તે.

સદર રકમ નીચે પ્રમાણે ચુકવવામાં આવશે-

  • ૨૫ % - એફ.આઇ.આર. વખતે
  • ૫૦ % - ચાર્જશીટ ફાઇલ થાય ત્‍યારે
  • ૨૫ %  નામ. કોર્ટ (નીચલી) સજા ફરમાવે પછી.

(૧૭)

જાહેર સેવક (કર્મચારી)ને ખોટી અથવા ક્ષુલ્‍લક (અર્થહીન) માહિતી આપવી

કલમ-૩(૧)(ક્યું)

ભોગ બનનારને રૂ.૧,૦૦,૦૦૦/-અથવા વાસ્તવમાં થયેલ કાનુની ખર્ચ અને નુકશાનીની ભરપાઈ – આ બન્નેમાંથી જે ઓછું હોય તે.

સદર રકમ નીચે પ્રમાણે ચુકવવામાં આવશે-

  • ૨૫ % - એફ.આઇ.આર. વખતે
  • ૫૦ % - ચાર્જશીટ ફાઇલ થાય ત્‍યારે
  • ૨૫ %  નામ. કોર્ટ (નીચલી) સજા ફરમાવે પછી.

(૧૮)

કોઇપણ જાહેર સ્‍થળ પાસે ઉતારી પાડવાના ઉદ્દેશથી ઇરાદા પૂર્વક અપમાન કરવું અથવા ધમકાવવું.

કલમ-૩(૧)(આર)

ભોગ બનનારને રૂ.૧,૦૦,૦૦૦/- અથવા વાસ્તવમાં થયેલ કાનુની ખર્ચ અને નુકશાનીની ભરપાઈ – આ બન્નેમાંથી જે ઓછું હોય તે.

સદર રકમ નીચે પ્રમાણે ચુકવવામાં આવશે-

૨૫ % - એફ.આઇ.આર. વખતે

૫૦ % - ચાર્જશીટ ફાઇલ થાય ત્‍યારે

૨૫ %  નામ. કોર્ટ (નીચલી) સજા ફરમાવે પછી.

(૧૯)

કોઇપણ જાહેર સ્‍થળ પાસે જાતિના નામનો દૂરઉપયોગ કરવો કલમ-૩(૧)(એસ)

(૨૦)

પવિત્ર અથવા ઉચ્‍ચ પ્રતિષ્‍ઠા ધરાવતી વસ્‍તુનો નાશ કરવો, નુકશાન પહોંચાડવું અથવા મલીન/અપવિત્ર કરવી

કલમ-૩(૧)(ટી).

(૨૧)

દુશ્‍મની, તિરસ્‍કાર અથવા ખરાબ ઇચ્‍છાઓની લાગણીઓ પેદા કરવા પ્રોત્‍સાહન આપવું. કલમ-૩(૧)(યુ)

(૨૨)

લેખિત અથવા મૌખિક શબ્‍દો અથવા અન્‍ય કોઇ રીતે ઉચ્‍ચ પ્રતિષ્‍ઠા ધરાવતા સ્‍વર્ગવાસી વ્‍યકિતનો અનાદર કરવો

કલમ-૩(૧)(વી)

(૨૩)

અનુસૂચિત જાતિ અથવા અનુસુચિત જનજાતિની મહિલાને ઇરાદા પૂર્વક સ્‍પર્શ કરવો, જાતિય પ્રકૃતિવાળા શબ્‍દપ્રયોગ કરવા અથવા તેવું કોઇ કૃત્‍ય કરવું, જયારે આ પ્રકારનો સ્‍પર્શ કરવાનું કૃત્‍ય જાતિય/લોંગીક પ્રકારનું તેમજ તેમની (મહિલાની) સંમતિ વગરનું હોય.કલમ-૩(૧)(ડબલ્યું)

ભોગ બનનારને રૂ.૧,૦૦,૦૦૦/- રકમ નીચે પ્રમાણે ચુકવવામાં આવશે-

  • ૨૫ % - એફ.આઇ.આર. વખતે
  • ૫૦ % - ચાર્જશીટ ફાઇલ થાય ત્‍યારે
  • ૨૫ %  નામ. કોર્ટ (નીચલી) સજા ફરમાવે પછી.

(૨૪)

ભારતિય દંડ સંહિતા, ૧૮૬૦ની કલમ ૩૨૬(બી) [સંદર્ભ એટ્રોસીટી એક્ટ કલમ-૩(૨)(૫)(એ)] ઈરાદા પુર્વક એસિડ, વિગેરેનો ઉપયોગ કરી સ્વેચ્છાપૂર્વકમહાવ્યથા કરવા બાબત

પીડીત/પીડીતાને રૂ.૮,૨૫,૦૦૦/-

(અ) શરીર ર ટકાથી વધારે ચહેરા ઉપર દાજી ગયેલ હોય, અથવા આંખ,કાન,નાક,મોંઢા અને શરીર ઉપર ૩૦ ટકા દાજી ગયેલ હોય 

(બ) રૂ.૪,૧૫,૦૦૦/- ૧૦% થી ૩૦% સુધી દાજી ગયેલ હોય

(ક) રૂ.૮૫,૦૦૦/- ચેહરા સિવાય શરીરના અન્ય ભાગ પર ૧૦ % થી ઓછુ દાજવું

આ ઉપરાંત, એસીડ હુમલાનો ભોગ બનનારની સારવારની તમામ જવાબદારી રાજ્ય સરકાર અથવા કેન્દ્ર શાષિત વહિવટ દ્વારા લેવાની રહેશે.ઉપરોક્ત (અ) થી (ક)ની ચુકવણી નિચે મુજબ કરવાની રહેશે-

  • ૫૦ % એફ.આઇ.આર. વખતે
  • ૫૦ %  મેડીકલ રીપોર્ટ મળ્યા પછી.

(૨૫)

ભારતિય દંડ સંહિતા, ૧૮૬૦ની કલમ ૩૫૪ [સંદર્ભ એટ્રોસીટી એક્ટ કલમ-૩(૨)(૫)(એ)] કોઈ સ્ત્રીની આબરૂ લેવાના ઈરાદાથી તેના ઉપર હુમલો કરવો અથવા ગુનહિત બળ વાપરવા બાબત

ભોગ બનનારને રૂ.૨,૦૦,૦૦૦/- રકમ નીચે પ્રમાણે ચુકવવામાં આવશે-

૫૦% - એફ.આઇ.આર. વખતે

૨૫% - ચાર્જશીટ ફાઇલ થાય ત્‍યારે

૨૫ %  નામ. કોર્ટ (નીચલી) સજા ફરમાવે પછી.

(૨૬)

ભારતિય દંડ સંહિતા, ૧૮૬૦ની કલમ ૩૫૪ (એ) [સંદર્ભ એટ્રોસીટી એક્ટ કલમ-૩(૨)(૫)(એ)] જાતિય સતમણી અને તેની સજા

 

(૨૭)  

ભારતિય દંડ સંહિતા, ૧૮૬૦ની કલમ ૩૫૪ (બી) [સંદર્ભ એટ્રોસીટી એક્ટ કલમ-૩(૨)(૫)(એ)] ઔપચારીક કપડા ઉતારી કાઢવાના ઉદ્દેશ્યથી કોઈ સ્ત્રી ઉપર હુમલો કરવો અથવા ગુનાહિત બળનો ઉપયોગ કરવો

(૨૮)  

ભારતિય દંડ સંહિતા, ૧૮૬૦ની કલમ ૩૫૪ (સી) [સંદર્ભ એટ્રોસીટી એક્ટ કલમ-૩(૨)(૫)(એ)] અન્ય લોકોના જનનેન્દ્રિયો અને સંભોગ જોઈને લૈંગિક તૃપ્તિ મેળવનારને સજા

ભોગ બનનારને રૂ.૨,૦૦,૦૦૦/- રકમ નીચે પ્રમાણે ચુકવવામાં આવશે-

૧૦% - એફ.આઇ.આર. વખતે

  • % - ચાર્જશીટ ફાઇલ થાય ત્‍યારે
  • %  નામ. કોર્ટ (નીચલી) સજા ફરમાવે પછી.

(૨૯)  

ભારતિય દંડ સંહિતા, ૧૮૬૦ની કલમ ૩૫૪ (ડી) [સંદર્ભ એટ્રોસીટી એક્ટ કલમ-૩(૨)(૫)(એ)] પીછો કરવો

(૩૦)  

ભારતિય દંડ સંહિતા, ૧૮૬૦ની કલમ ૩૭૬ (બી) [સંદર્ભ એટ્રોસીટી એક્ટ કલમ-૩(૨)(૫)(એ)] રાજ્ય સેવકદ્વારા પોતાની કસ્ટડીમાં રહેલ સ્ત્રી સાથે સંભોગ કરવા બાબત

ભોગ બનનારને રૂ.૨,૦૦,૦૦૦/- રકમ નીચે પ્રમાણે ચુકવવામાં આવશે-

  • % - મેડીકલ પરીક્ષણ અને બળાત્‍કાર સાબિત થયેથી
  • % - ચાર્જશીટ ફાઇલ થાય ત્‍યારે
  • ૨૫ %  નામ. કોર્ટ (નીચલી) સજા ફરમાવે પછી.

(૩૧)  

ભારતિય દંડ સંહિતા, ૧૮૬૦ની કલમ ૩૭૬ (સી) [સંદર્ભ એટ્રોસીટી એક્ટ કલમ-૩(૨)(૫)(એ)] જેલ, રિમાન્ડ હોમ વગેરેના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા સંભોગ કરવા બાબત

ભોગ બનનારને રૂ.૪,૦૦,૦૦૦/- રકમ નીચે પ્રમાણે ચુકવવામાં આવશે-

  • % - મેડીકલ પરીક્ષણ અને બળાત્‍કાર સાબિત થયેથી
  • % - ચાર્જશીટ ફાઇલ થાય ત્‍યારે
  • ૨૫ %  નામ. કોર્ટ (નીચલી) સજા ફરમાવે પછી.

(૩૨)  

ભારતિય દંડ સંહિતા, ૧૮૬૦ની કલમ ૫૦૯ [સંદર્ભ એટ્રોસીટી એક્ટ કલમ-૩(૨)(૫)(એ)] કોઈ સ્ત્રીની લાજ લેવાના ઈરાદાથી ઉચ્ચારેલો શબ્દ કે કરેલી ચેષ્ટા અથવા ક્રૃત્ય

ભોગ બનનારને રૂ.૨,૦૦,૦૦૦/- રકમ નીચે પ્રમાણે ચુકવવામાં આવશે-

  • ૨૫ % - એફ.આઇ.આર. વખતે
  • ૫૦ % - ચાર્જશીટ ફાઇલ થાય ત્‍યારે
  • ૨૫ %  નામ. કોર્ટ (નીચલી) સજા ફરમાવે પછી.

(૩૩)  

પાણીને બગાડવું અથવા ગંદુ કરવું.

કલમ-૩(૧)(એક્સ) 

રાજ્ય અથવા કેન્‍દ્ર સરકાર (જેના ચાર્જમાં) દ્વારા સામાન્ય સુવિધા જેવી કે પાણી દુશિત કરેલ હોયતો તે પાણીની ગંદકી દૂર કરવી. ચોખ્ખા પાણીની વ્‍યવસ્‍થા (સરકારી ખર્ચે) કરવી વધારામાં

રૂ. ૮,૨૫,૦૦૦/- જે તે ડીસ્‍ટ્રીક્ટ મેજીસ્‍ટ્રેટ (કલેક્ટરશ્રી)ને હવાલે મુકી લોકલ ઓથોરીટી કે જીલ્‍લા ઓથોરીટી જે નક્કી કરે તે પ્રમાણે પૂનઃવ્‍યવસ્‍થા કરવી.

(૩૪)

જાહેર રિસોર્ટની જગ્‍યાનો માર્ગ વાપરવા અંગેનો રૂઢિગત હક્ક નકારવો કે તના ઉપયોગ અને વપરાશ માટે અવરોધવા

કલમ-૩(૧)(વાય) 

રૂ.૪,૨૫,૦૦૦/- પીડીતોને આપવા જે તે જાહેર જગ્‍યાએ જવા માટે યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવી. (સરકારી ખર્ચે)

(૧) ૨૫ % રકમ  એફ.આઇ.આર. નોંધાયેથી

(૨) ૫૦ % રકમ ચાર્જશીટ કોર્ટમાં રજુ કર્યા બાદ

(૩) ૨૫ % રકમ  નીચલી અદાલત દ્વારા આરોપીને દોષીત ઠરાવવામાં આવે ત્‍યારે

 

(૩૫)

ઘર,ગામ અથવા નિવાસ સ્‍થાન છોડવા અંગે બળજબરી અથવા દબાણ કરવું

કલમ-૩(૧)(ઝેડ) 

જે તે સરકારશ્રીએ (રાજ્ય કે કેન્‍દ્ર)  ફરીવાર જે છે તે સ્‍થિતિમાં પીડીતોને રહેવાની પૂરી સગવડતા કરી આપવાની (સરકારી ખર્ચે)

રૂ.૧,૦૦,૦૦૦/- (જો તેમના ધરને તોડી ફોડી નાખવામાં આવ્‍યા હોય તો નવેસરથી બાંધી આપવુ.

  1. ૨૫ % રકમએફ.આઇ.આર. નોંધાયેથી

(૨) ૫૦ % રકમ ચાર્જશીટ કોર્ટમાં રજુ કર્યા બાદ

(૩) ૨૫ % રકમ  નીચલી અદાલત દ્વારા આરોપીને દોષીત ઠરાવવામાં આવે ત્‍યારે

(૩૬)

અનુસૂચિત જાતિ અથવા અનુસુચિત જનજાતિના સભ્‍યને નીચે જણાવેલ કોઇ બાબતો માટે અવરોધે અથવા અટકાવે

ઉપરોક્ત કોઇપણ જગ્‍યાઓનો ઉપયોગ કરવા દેવા માટે (ઉપરોક્ત જાતિઓને)ની પૂર્ણ વ્‍યવસ્‍થા રાજ્ય કે કેન્‍દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે. અને ક્યાંય અડચણ ઉભી કરવામાં ન આવે તેવી વ્‍યવસ્‍થા કરશે.(સરકારી ખર્ચે)

 (અ)

અન્‍ય વ્‍યકિતઓની સમાન દફન અને અગ્‍નિદાહના વિસ્‍તાર માટે સામાન્‍ય મિલકત સ્‍ત્રોતનો ઉપયોગ કરવો અથવા નદી, ઝરણા, વહેણ, કુવો,ટાંકી,નળ, પીવાના પાણીનું સ્‍થળ, સ્‍નાનઘાટ, જાહેર વાહન, માર્ગ અને રસ્‍તાનો ઉપયોગ કરવો

 કલમ-૩(૧)(ઝેડ એ)(એ)

(અ) ખાસ પીડીત કુટુંબ/વ્‍યક્તિ જે કેસ હોય તો રૂ. ૧,૦૦,૦૦૦/- આપવામાં આવશે.

(૧) ૨૫ % રકમ  એફ.આઇ.આર. નોંધાયેથી

(૨) ૫૦ % રકમ ચાર્જશીટ કોર્ટમાં રજુ કર્યા બાદ

(૩) ૨૫ % રકમ  નીચલી અદાલત દ્વારા આરોપીને દોષીત ઠરાવવામાં આવે ત્‍યારે

૩૬

(બ)

સાયકલ અથવા મોટરસાયકલથી પર્વતારોહણ કરવું, જાહેર સ્‍થળોએ પગરખાં અથવા નવા કપડાં પહેરવાં અથવા લગ્‍ન સરઘસ (શોભાયાત્રા) કાઢવી અથવા લગ્‍ન સરઘસ (શોભાયાત્રા) દરમ્‍યાન ઘોડેસવારી કરવી અથવા અન્‍ય કોઇ વાહનનો ઉપયોગ કરવો.

કલમ-૩(૧)(ઝેડ એ)(બી)

 

આ તમામ બાબત માટે (રાજ્ય કે કેન્‍દ્ર) સરકારશ્રી યોગ્‍ય પગલા લઇ જાહેર જનતા કરતી હોય તે રીતે ઉપરોક્ત બંન્‍ને જાતિના લોકો ભાગ લઇ શકે તેવી વ્‍યવસ્‍થા કરવી (સરકારી ખર્ચે) તેમજ રૂ.૧,૦૦,૦૦૦/- પીડીત જાતિને આપવા.

(૧) ૨૫ % રકમ  એફ.આઇ.આર. નોંધાયેથી

(૨) ૫૦ % રકમ ચાર્જશીટ કોર્ટમાં રજુ કર્યા બાદ

(૩) ૨૫ % રકમ  નીચલી અદાલત દ્વારા આરોપીને દોષીત ઠરાવવામાં આવે ત્‍યારે

૩૬

(ક)

જાહેર લોકો માટે માન્‍ય હોય તેવી પૂજા (ભકિત) કરવાની જગ્‍યાએ પ્રવેશ કરવો કે જયાં અન્‍ય લોકો સમાન ધર્મ અપનાવે અને ભાગ લે છે. અથવા કોઇ જાત્રા સહિત અન્‍ય ધાર્મિક, સામાજીક અથવા સાંસ્‍કૃતિક સરઘસ (શોભાયાત્રા) કાઢવી

કલમ - ૩(૧)(ઝેડએ)(સી) 

 

પીડીત વ્‍યક્તિગત, કૌટુંબીક કે આખી જ્ઞાતિ માટે ઉપરોક્ત દરેક જગ્‍યાઓએ જેમ જાહેર જનતા જાય છે તેમ જવા માટેની યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવાની અને આ બાબતમાં અડચણ હોય તો દૂર કરવી (રાજ્ય સરકાર/કેન્‍દ્ર સરકાર દ્વારા પોતાના ખર્ચે ઉપરોક્ત વ્‍યવસ્‍થા કરવામાં આવશે) અને પીડીતને

રૂ. ૧,૦૦,૦૦૦/- મદદ કરવામાં આવશે.

(૧) ૨૫ % રકમ  એફ.આઇ.આર. નોંધાયેથી

(૨) ૫૦ % રકમ ચાર્જશીટ કોર્ટમાં રજુ કર્યા બાદ

(૩) ૨૫ % રકમ  નીચલી અદાલત દ્વારા આરોપીને દોષીત ઠરાવવામાં આવે ત્‍યારે

૩૬

(ડ)

કોઇ શૈક્ષણિક સંસ્‍થા, દવાખાનું, ઔષધાલય, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર, દૂકાન, જાહેર સ્‍થળ કે અન્‍ય જાહેર મનોરંજનના સ્‍થળ પર પ્રવેશ કરવો અથવા જાહેર સ્‍થળ પર જાહેર ઉપયોગના ઇરાદા માટે રાખેલ વાસણો અથવા ચીજવસ્‍તુઓનો ઉપયોગ કરવો

કલમ - ૩(૧)(ઝેડએ)(ડી) 

રાજ્ય અથવા કેન્‍દ્ર સરકાર દ્વારા ઉપરોક્ત દરેક જાહેર જગ્‍યાએ ઉપરોંકત જાતિ કે જનજાતિના માણસોને જાહેર જનતાની જેમ જ  પ્રવેશ મળે વગેરે માટે  યોગ્ય વ્યવસ્થા કરવી (સરકારી ખર્ચે) અને પીડીતને રૂ. ૧,૦૦,૦૦૦/- મદદ કરવામાં આવશે.

(૧) ૨૫ % રકમ  એફ.આઇ.આર. નોંધાયેથી

(૨) ૫૦ % રકમ ચાર્જશીટ કોર્ટમાં રજુ કર્યા બાદ

(૩) ૨૫ % રકમ  નીચલી અદાલત દ્વારા આરોપીને દોષીત ઠરાવવામાં આવે ત્‍યારે.

૩૬

(ઇ)

વ્‍યકિતએ કોઇ વ્‍યવસાય અપનાવેલ હોય અથવા કોઇ રોજગાર, વેપાર અથવા વ્‍યવસાય અપનાવેલ હોય કે જે જાહેર જનતા અથવા અન્‍ય કોઇ શાખાના અન્‍ય લોકો તેના ઉપયોગ અને વપરાશ માટે હક્કદાર હોય.

કલમ - ૩(૧)(ઝેડએ)(ઇ)  

 

રાજ્ય અથવા કેન્‍દ્ર સરકાર દ્વારા જેમ જાહેર જનતા કરે છે તેમજ ઉપરોંકત જાતિઓ પોતાનું કામ, ધંધો, નોકરી, કે અન્ય વ્યવસાય કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવી આપવી.  પીડીતને             રૂ. ૧,૦૦,૦૦૦/- મદદ કરવામાં આવશે.

(૧) ૨૫ % રકમ  એફ.આઇ.આર. નોંધાયેથી

(૨) ૫૦ % રકમ ચાર્જશીટ કોર્ટમાં રજુ કર્યા બાદ

(૩) ૨૫ % રકમ  નીચલી અદાલત દ્વારા આરોપીને દોષીત ઠરાવવામાં આવે ત્‍યારે.

(૩૭)

ચૂડેલ અથવા મેલી વિદ્યાના આક્ષેપોને આધારે અનુસૂચિત જાતિ અથવા અનુસુચિત જનજાતિના સભ્‍યને શારિરીક હાની/નુકસાન અથવા માનસિક યાતના (વેદના) ભોગવવા માટે કારણ બનવું.

કલમ - ૩(૧)(ઝેડ બી)  

 

ઉપરોંકત વર્ણવેલ બાબતો ન બને, તેમજ જ્ઞાતિ કે તેના કોઇ પુરૂષ/સ્ત્રીને શારીરીક કે માનસીક ત્રાસ ન પડે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર કે કેન્દ્વ સરકારે પોતાના ખર્ચે કરવી.

પીડીતને રૂ. ૧,૦૦,૦૦૦/- મદદ કરવામાં આવશે.

(૧) ૨૫ % રકમ  એફ.આઇ.આર. નોંધાયેથી

(૨) ૫૦ % રકમ ચાર્જશીટ કોર્ટમાં રજુ કર્યા બાદ

(૩) ૨૫ % રકમ  નીચલી અદાલત દ્વારા આરોપીને દોષીત ઠરાવવામાં આવે ત્‍યારે.

(૩૮)

કોઈ વ્‍યકિત, પરિવાર કે જૂથને સામાજીક અથવા આર્થિક બહિષ્‍કાર લાધવામાં આવે અથવા ધમકી આપવામાં આવે.

કલમ - ૩(૧)(ઝેડ સી)  

બહિષ્કાર પહેલાં જે સ્થિતિ હતી તે પાછે બહાલ કરવી અને બન્ને જતિઓને સામાન્ય જનતા જેમ સામાજીક અને આર્થિક કરવા મળે તેવી રાજ્ય /કેન્દ્વ સરકાર દ્વારા વ્યવસ્થા કરવી અને ચાર્જેશીટ દાખલ થાય કે તરત જ રૂ.૧,૦૦,૦૦૦/- પીડીતને આપવાની વ્યવસ્થા કરવી

(૩૯)

અનુ જાતિ કે અનુ જનજાતિના શખ્સો સામે ખોટા / બનાવટી પુરાવા આપવા અથવા ઉભા કરવા.

કલમ ૩(૨)(i)(ii)

રૂ ૪,૫૦,૦૦૦/- પીડીતને આપવા/સહાય કરવી.

(૧) ૨૫ % રકમ  એફ.આઇ.આર. નોંધાયેથી

(૨) ૫૦ % રકમ ચાર્જશીટ કોર્ટમાં રજુ કર્યા બાદ

(૩) ૨૫ % રકમ  નીચલી અદાલત દ્વારા આરોપીને દોષીત ઠરાવવામાં આવે ત્‍યારે.

(૪૦)

ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦ અધિનિયમ હેઠળ ૧૦ વર્ષ કે તેથી વધુ સજા થવા પાત્ર ગુનો કરવા બાબત કલમ ૩(૨)

રૂ. ૪,૦૦,૦૦૦/- પીડીત કે પીડીતના કુટુંબીજનોને આપવા.અનુસુચિને આધારે આ રકમમાં ફેરફાર પણ થઈ શકે છે.

(૧) ૨૫ % રકમ  એફ.આઇ.આર. નોંધાયેથી

(૨) ૫૦ % રકમ ચાર્જશીટ કોર્ટમાં રજુ કર્યા બાદ

(૩) ૨૫ % રકમ  નીચલી અદાલત દ્વારા આરોપીને દોષીત ઠરાવવામાં આવે ત્‍યારે.

(૪૧)

એટ્રોસીટી એક્ટની અનુસુચિમાં વર્ણવાયેલ ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦ અધિનિયમ હેઠળના ગુનાઓ આચરવા બાબત.

કલમ ૩(૨)(૫-એ) તેમજ આ કાયદા હેઠળની અનુસુચિ મુજબ

રૂ. ૨,૦૦,૦૦૦/- પીડીત કે પીડીતના કુટુંબીજનોને આપવા.અનુસુચિને આધારે આ રકમમાં ફેરફાર પણ થઈ શકે છે.

(૧) ૨૫ % રકમ  એફ.આઇ.આર. નોંધાયેથી

(૨) ૫૦ % રકમ ચાર્જશીટ કોર્ટમાં રજુ કર્યા બાદ

(૩) ૨૫ % રકમ  નીચલી અદાલત દ્વારા આરોપીને દોષીત ઠરાવવામાં આવે ત્‍યારે.

(૪૨)

જાહેર સેવક દ્વારા કિન્નાખોરી રાખવી કે શોષણ કરવું.

કલમ ૩(૨) (vii)

રૂ ૨,૦૦,૦૦૦/- પીડીત કે પીડીતના કુટુંબીજનોને

(૧) ૨૫ % રકમ  એફ.આઇ.આર. નોંધાયેથી

(૨) ૫૦ % રકમ ચાર્જશીટ કોર્ટમાં રજુ કર્યા બાદ

(૩) ૨૫ % રકમ  નીચલી અદાલત દ્વારા આરોપીને દોષીત ઠરાવવામાં આવે ત્‍યારે.

(૪૩)

અપંગતા /અસમર્થતા (Disability).

સામાજીક ન્યાય અને અધિકારીતા ખાતા ના તા ૧-૬-૨૦૦૧ના નોટીફીકેશનનં ૧૬-૧૮/૯૭ એનઆઇ એનેક્ષર II માં સામેલ છે.

 

(અ)  ૧૦૦ % અપંગતા/અસમર્થતા

 

(અ) રૂ. ૮,૨૫,૦૦૦/- પીડીતને

૫૦ % રકમ તબીબી તપાસણી અને પોઝીટીવ રીપોર્ટ આવ્યા બાદ

૫૦% રકમ ચાર્જશીટ કોર્ટમાં રજુ થયે

(બ)  જ્યારે અસમર્થતા ૧૦૦% થી ઓછી પરંતુ ૫૦% થી વધારે હોય

 

(બ) રૂ. ૪,૫૦,૦૦૦/- પીડીતને

૫૦ % રકમ તબીબી તપાસણી અને પોઝીટીવ રીપોર્ટ આવ્યા બાદ

૫૦% રકમ ચાર્જશીટ કોર્ટમાં રજુ થયે

(ક) ૫૦% થી ઓછીઅસમર્થતા

(ક) રૂ. ૨,૫૦,૦૦૦/- પીડીતને

૫૦ % રકમ તબીબી તપાસણી અને પોઝીટીવ રીપોર્ટ આવ્યા બાદ

૫૦% રકમ ચાર્જશીટ કોર્ટમાં રજુ થયા બાદ

(૪૪)

 બળાત્કાર કે સામુહિક બળાત્કાર

(i) બળાત્કાર (ભારતીય દંડ સહીતા ૧૮૬૦ ની કલમ-૩૭૫)

રૂ. ૫,૦૦,૦૦૦/- જે તે પીડીત વ્યકતિને

  • ૫૦ % રકમ તબીબી તપાસણી અને પોઝીટીવ રીપોર્ટ આવ્યા બાદ
  • ૨૫ % રકમ ચાર્જશીટ કોર્ટમાં રજુ કર્યા બાદ
  • ૨૫ % રકમનામદાર અદાલત દ્વારા આરોપીને દોષીત ઠરાવવામાં આવે ત્‍યારે.

(ii)સામુહિક બળાત્કાર [ભારતીય દંડ સહીતા ૧૮૬૦ ની કલમ-૩૭૬ (ડી)]

રૂ. ૮,૨૫,૦૦૦/- જે તે પીડીત વ્યકતિને

  • ૫૦ % રકમ તબીબી તપાસણી અને પોઝીટીવ રીપોર્ટ આવ્યા બાદ
  • ૨૫ % રકમ ચાર્જશીટ કોર્ટમાં રજુ કર્યા બાદ
  • ૨૫ % રકમનામદાર અદાલત દ્વારા આરોપીને દોષીત ઠરાવવામાં આવે ત્‍યારે. 

૪૫

ખુન/હત્યા અથવા મૃત્યુ

રૂ. ૮,૨૫,૦૦૦/- જે તે પીડીત વ્યકતિને

  • ૫૦ % રકમ પોસ્ટ્મોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ
  • ૫૦ % રકમ ચાર્જશીટ કોર્ટમાં રજુ કર્યા બાદ

૪૬

ખુન, મૃત્યુ, બળાત્કાર,

ગેંગ (સામુહીક) બળાત્કાર, સંપૂર્ણ અશકતતા અને લૂંટનો ભોગ બનેલ વ્યક્તિને વધારાની મદદ

ઉપરોક્ત રકમની સહાય ઉપરાંત અત્યાચાર થયાના 3 માસની અંદર -

i) પીડીતની વિધવા અથવા આધારીત સભ્યોને (અનુ જાતિ- અનુ જન જાતિન સભ્યોને) રૂ. ૫૦૦૦/-પ્રતિ માસ પેન્શન(બેજીક) (જે તે રાજ્ય /કેન્દ્વ સરકાર દ્વારા) તથા મોંધવારી ભથ્થું, તથા તે કુટુંબના એક સભ્યને નોકરી (સરકારી) ખેડાઉ જમીન (ફળદ્વુપ) , રહેવા માટે ઘર( સરકારે ખરીદીને આપવું)  જે સ્થિતિ હોય તે પ્રમાણે 

ii)જે તે કુટુંબના બાળકોને ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધીનું શિક્ષણ અને તે બાળકોના ભરણપોષણની વ્યવસ્થા સરકારશ્રી દ્વારા ૧૦૦% ચલાવાતી આશ્રામશાળા કે રેસીડેન્ટીયલ શાળામાં દાખલ કરવું. 

iii)ત્રણ માસ -માટે ઘર વપરાશના વાસણો, ચોખા, ઘઉં, દાળ, કઠોર વગેરેની સહાય કરવી.

૪૭ 

ઘરને બાળી નાખવું કે સંપૂર્ણ નાશ કરવો

જે તે સ્થળે આ ઘર બાળી કે નાશ કરવામાં આવેલ છે તે જ સ્થળે ઇંટો કે પત્થરની દીવાલો દ્વારા સરકારશ્રીએ મકાન (ઘર) બનાવી આપવું/ અથવા ખર્ચ પુરો પડવો.

સમાજ શિક્ષણ શિબિર

સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સચિવાલય, ગાંધીનગરના ઠરાવ ક્રમાક : એસસીડબ્લ્યુ/૧૦૭૮/૬૭૬૯૮/જ  તા.૯/૫/૭૯થી મંજુર થયેલ બીસીકે – ૨૦૪ સમાજ શિક્ષણ શિબિર યોજના હેઠળ જિલ્લા / તાલુકા કક્ષાએ સમાજ શિક્ષણ શિબિર માટે તા. ૭/૨/૧૯૯૨ ના ઠરાવથી નિયત થયેલ છે.

સમાજ શિક્ષણ શિબિર ના આયોજનમાં અનુસુચિત જનજાતિના ઇસમોમાં પછાતપણું દુર કરવા , અંધશ્રધ્ધા, કુરીવાજોને તિલાંજલી આપવા તેમજ રીવાજ , રૂઢીગત પ્રણાલીકા ને અનુરૂપ તેમનામાં રહેલી શક્તિઓને જાગૃત કરી તેમને સમાજના સામાન્ય પ્રવાહ સાથે સાંકળવા માટે શિબિરનુ આયોજન કરવામાં આવે છે. સમાજ શિક્ષણ શિબિરમાં સરકારશ્રી ની વિવિધ અમલકારી યોજનાઓની જાણકારી આપવામાં આવે છે અને યોજનાકીય સાહિત્ય વિતરણ કરી  પ્રચાર પ્રસાર કરવામાં આવે છે  અને યોજનાનો લાભ મેળવવા અંગે સમજ આપવામાં આવે છે. વધુમાં અનુજ઼ાતિઓ અને અનુ.આદિજાતિઓ અત્યાચાર નિવારણ) અધિનિયમ ૧૯૮૯ અને અનુ.જ઼ાતિઓ અને અનુ.આદિજાતિઓ અત્યાચાર (નિવારણ) સુધારણા અધિનિયમ ૨૦૧૫ તથા  નિયમો ૧૯૯૫ ની જાણકારી અને સમજ આપવામાં આવે છે.

વર્ષ ૨૦૧૯-૨૦ માટે સમાજ શિક્ષણ શિબિર યોજના અંતર્ગત માંગણી નં. ૯૩ હેઠળ ૪૬ શિબિરો અને માંગણી નં. ૯૬ હેઠળ  ૭૧ શિબિર ફાળવવામાં આવેલ  છે. આમ કુલ ૧૧૭ સમાજ શિક્ષણ શિબિર ની ફાળવણી કરવામાં આવેલ છે.વર્ષ ૨૦૨૦-૨૧ માં કુલ રૂ.૧૧.૯૦ની બજેટ જોગવાઇ કરવામાં આવેલ છે.

સમાજ શિક્ષણ શિબિરમાં નિચે મુજબની કામગીરી કરવાની રહે છે.

  • આ શિબિરમાં ભાગ લેનારની સંખ્યા ૪૦ કરતાં વધુ હોતી નથી.
  • આ શિબિરમાં ભાગ લેનાર સભ્યોને ચા – નાસ્તા તથા ભોજનની વિના મુલ્યે સુવિધા આપવાની રહે છે.
  • આ જિલ્લા / તાલુકા કક્ષાની શિબિરની ફોટોગ્રાફી/ વિડીયોગ્રાફી કરવાની રહે છે.
  • આ જિલ્લા / તાલુકા કક્ષાની શિબિરમાં કોઈ ભલામણ / સુચનો થાયતો સરકારશ્રીના ધ્યાને લાવવાના રહે છે.
  • આ જિલ્લા / તાલુકા શિબિરનું આયોજન કમિશ્નર,  આદિજાતિ વિકાસ, ગુ.રા., ગાંધીનગરના પરામર્શમાં રહીને જ કરવાય છે.
  • આ જિલ્લા / તાલુકા કક્ષાની શિબિર માટે રૂ.૧૦,૦૦૦/- સુધીનો ખર્ચ કરવાનો રહે છે.
  • આ જિલ્લા / તાલુકા કક્ષાની શિબિરમાં આયોજન પંચાયત રાજ સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી કરાવાય છે અને આ માટે આવી સંસ્થાઓના હવાલે રૂ. ૧૦,૦૦૦/- સુધીની ગ્રાન્ટ ફાળવી શકાશે તથા રૂ.૧૦,૦૦૦/- કરતાં વધુ થનાર ખર્ચ આવી સંસ્થાઓએ પોતે ભોગવાનો રહે છે.

 

સમાજ શિક્ષણ શિબિરમાં આદિજાતિ વિકાસની યોજનાઓને લગતુ સાહિત્ય અને યોજનોની સમજ આપવામાં આવે છે.

વધુમાં બીસીકે – ૨૦૪ અનુ.જાતિઓ અને અનુ. જનજાતિઓ ( અત્યાચાર નિવારણ ) અધિનિયમ – ૧૯૮૯ના તથા નાગરીક એકમ (અત્યાચાર) યોજના હેઠળ જિલ્લા / તાલુકા કક્ષાની શિબિર અંગેની રૂ. ૫,૦૦૦/- ના નાણાંકીય ખર્ચની જોગવાઈ હેઠળ આ યોજના અમલમાં હતી. વર્ષ ૨૦૧૩-૧૪ થી નવી બાબત  મંજુર થયેલ હોઇ જેમાં શિબિર દીઠ  રૂ. ૧૦૦૦/- નો વધારો કરેલ છે  જિલ્લા / તાલુકા કક્ષાની સમાજ શિક્ષણ શિબિર માટે શિબિર દીઠ રૂ. ૫,૦૦૦/-ને બદલે રૂ. ૬,૦૦૦/- કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૧૯-૨૦ થી નવીબાબત મંજુર થયેલ હોઇ જેમાં શિબિર દીઠ  રૂ. ૪૦૦૦/- નો વધારો કરી  જિલ્લા / તાલુકા કક્ષાની સમાજ શિક્ષણ શિબિર માટે શિબિર દીઠ રૂ. ૬,૦૦૦/-ને બદલે રૂ.૧૦,૦૦૦/- કરવામાં આવેલ છે.

સાબરકાંઠા અને અરવલ્લીના આદિજાતિના લોકોમાં પ્રસરાયેલા કુરિવાજો (ચડોતરુ પ્રથા) દૂર કરવા શિબિરનું આયોજન:

  • આદિજાતિમાં પ્રસરેલ વેર, વ્યસન, વહેમ, અંધશ્રદ્ધા અને કુરિવાજોથી બહાર આવી આધુનિક યુગમાં પ્રવેશી સરકારશ્રીની સાથે તાલ મિલાવી પોતાનો વિકાસ સાધે તેમજ ઉંડાણ વિસ્તારના ગામોમાં વસતા આદિવાસીઓમાં પ્રસારણ અને ઉજાગર થાય અને આદિજાતી સમાજમાં આર્થિક,સામાજિક અને શૈક્ષણિક રીતે વિકાસ થાય તથા સમાજ પ્રસરાતા દુષણ વેર,વ્યસન અને વહેમ દુર થાય તેમજ પોશિના,ખેડબ્રહ્મા જેવા તાલુકાઓમાં જોવા મળતી ચડોતરૂ પ્રથા તથા કુરીવાજો દુર કરવા માટે શિબિરોનું આયોજન તથા અન્ય માધ્યમથી જાગૃતિ ફેલાવી શકાય એ હેતુથી સાબરકાંઠા જિલ્લામાં સમાવેશ થતા ગામો તેમજ અરવલ્લી જિલ્લામાં સમાવેશ થતા ગામોમાં શિબિરોના આયોજન માટે વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટમાં માંગણી નં.૯૬માં રૂ.૩૦૦.૦૦ લાખનો સમાવેશ કરવા વિનંતી કરેલ જેમાં રૂ.૫૦.૦૦ લાખની નવી બાબત તરીકે મંજુરી મળેલ તથા ચાલુ નાણાંકીય વર્ષમાં રૂ.૨૫.૦૦ લાખની બજેટ જોગવાઇ કરવામાં આવેલ  છે. જેની અમલવારી માટે પ્રાયોજના વહીવટદારશ્રી, મોડાસા,જિ. અરવલ્લી અને પ્રાયોજના વહીવટદારશ્રી, ખેડબ્રહ્મા, જિ.સાબરકાંઠા ને અમલવારી માટે જણાવેલ છે.

સ્થળાંતરિત આદિજાતી કામદાર સહાયતા કેન્‍દ્ર:

  • આદિજાતિ વિસ્તારમાં મર્યાદિત રોજગારના સ્ત્રોતના કારણે છુટક મજુરી સાથે જોડાયેલા આદિજાતિ કુંટંબો દ્વારા રોજગારીની વધુ તકો અને વધુ વેતન માટે આસપાસના વિસ્તારના જિલ્લાઓ અને શહેરોમાં રોજગારી માટે સ્થળાંતરણ કરે છે.રાજયમાં આદિજાતિ વિસ્તારમાંથી ખાસ કરીને બાંધકામના કામો,રસ્તાના કામો,ખેતીના કામો અને શહેરી વિસ્તારોમાં કડીયા,પ્લમ્બર વગેરે કુશળ કરીગર તરીકેની રોજગારીઓ સાથે જોડાયેલ છે.જ્યારે દક્ષિણ તથા સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખેતી તથા ખેત મજૂર અંગેની રોજગારીમાં આદિજાતિ કુટુંબો સ્થળાંતરીત થતા રહે છે.
  • ,કામની જગ્યાએ સુરક્ષા,મુકાદમ(મીડલ મેન)દ્વારા શોષણ ઘટનાઓ બનતી રહે છે. સ્થળાંતરના કારણે બાળકોની શાળામાં અનિયમિતતા,સરકારની વિકાસલક્ષી યોજનાના લાભ અને કામદાર માટેની કલ્યાણકારી લાભોથી પણ વંચિત રહી જાય છે.મોટા શહેરમાં સ્થળાંતરીત કુટુંબોને રોજગારની સાથે ઓળખ અને રહેઠાણ સબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે,આ સ્થિતીમાં આદિજાતિ સ્થળાંતરીત કુટુંબોને મોટા શહેરમાં રોજગારી માટેના સ્થળાંતર સમયે તેઓના રોજગારીના પ્રશ્નોમાં સહાયતા,શોષણ અટકાવવું અને કામના સ્થળે સુરક્ષીત વાતવરણ નિર્માણની સાથે સરકારની કલ્યાણ લક્ષી યોજઓના લાભો પ્રદાન કરવા માટે રાજય સરકાર દ્વારા "સ્થળાંતરીત આદિવાસી પરિવાર માટે કામદાર સહાયતા કેન્‍દ્ર” ગૂજરાત વિદ્યાપીઠ આશ્રમ રોડ, અમદાવાદ ખાતે તા.૮/૫/૨૦૧૯ના  રોજ શરૂ કરેલ છે.
  • ભારત સરકારના જનજાતિ કાર્ય મંત્રાલયને "વનબંધુ કલ્યાણ યોજના” હેઠળ વર્ષ 2015-16માં અમદાવાદ અને સુરત ખાતે "સ્થળાંતરીત આદિવાસી પરીવાર માટે કામદાર સહાયતા કેન્દ્વ” માટેની દરખાસ્ત રજુ કરવામાં આવેલ હતી. જે ભારત સરકારના જનજાતિ કાર્ય મંત્રાલયની પ્રોજેકટ એપ્રાઇઝલ કમિટિ દ્વારા એક કેન્દ્વના એક વર્ષના પ્રોજેકટ માટે રૂ.17.00 લાખ મુજબ કુલ રૂ.34.00 લાખની મંજુરી આપવામાં આવેલ છે. ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગના ઠરાવ ક્રમાક – વકય-102016-354-પી. તા. ૧૫/૦૯/૨૦૧૬ થી આ કેન્દ્વોના અમલ માટેની સુચનાઓ બહાર પાડવામાં આવેલ છે.
  • બજેટ વર્ષ ૨૦૧૯-૨૦માં માંગણી નં.૯૩ આયોજન હેઠળની રૂ.૧૭.૦૦ લાખની નવી બાબત સ્થળાંતરિત આદિવાસી સહાયતા કેન્‍દ્રની યોજના રાજય સરકારશ્રી દ્વારા મંજુર કરી અને સરકારશ્રી દ્વારા વહીવટી મંજુરી અપવામાં આવેલ તથા ચાલુ નાંણાકીય વર્ષમાં રૂ.૧૭.૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.


સંબંધિત કડીઓ
News and Events