Free Medical Aid | આરોગ્ય અને આવાસ | રાજ્યકક્ષાની યોજનાઓ | કાર્યક્રમો અને યોજનાઓ | આદિજાતિ વિકાસ કમિશ્નર

  • વિહંગાવલોકન | આદિજાતિ વસતિના લોકો ટી.બી., કેન્સર જેવી લાંબી બીમારીમાં તેમની નબળી આર્થિક સ્થિતિને કારણે તેમને સૂચવવામાં આવેલ દવાઓ, ઈંજેક્શન, પોષણયુક્ત આહાર વગેરે ખરીદી શકતા નથી. આમ તેમને આવશ્યક સારવારની અવજ્ઞા કરવાની ફરજ પડે છે.
  • ઉદ્દેશ | અનુસૂચિત જનજાતિની વસતિમાં આરોગ્ય સંભાળને પ્રોત્સાહન પૂરું પાડવું.
  • પ્રારંભ | ૧૯૮૭
  • ભાગીદારી સંસ્થા | કોઈ નહિ
  • ભૌગોલિક ભૂમિભાગ | તમામ જિલ્લાઓ
  • અપેક્ષિત લાભાર્થીઓ | જેમને લાંબી ટી.બી. અને કેન્સર જેવી બીમારી છે જેવા અનુસૂચિત જનજાતિના લોકે તથા મહિલાઓ, જેમને પ્રજનન આરોગ્ય સંભાળની જરૂર છે તેમને અગ્રતા આપવામાં આવે છે.
  • પાત્રતા માપદંડ | એવા પરિવારો જેમની ગ્રામીણ વિસ્તારની વાર્ષિક કુલ આવક રૂ. ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારોમાં વાર્ષિક રૂ. ૧,૫૦,૦૦૦
  • યોજના નીચેના લાભ | | પ્રસુતિના ગંભીર કેસમાં રૂ.૫૦૦ કેસ દીઠ, મહિલાઓને એનિમીયા હોય તેમને દર મહિને રૂ. ૧૫૦, , ટી.બી.ના દર્દીને રૂ. ૫૦૦, કેન્સરના દર્દીને રૂ. ૧૦૦૦, એચઆઈવી એઈડ્સના દર્દીને રૂ. ૧૦૦૦, સીકલસેલના દર્દીઓને રૂ.૫૦૦ દર્દી દીઠ, રક્તપિત દર્દીને રૂ. ૪૦૦ દર મહિને જ્યાં સુધી તેઓ સંપૂર્ણ સાજા ન થાય ત્યાં સુધી ચૂકવવામાં આવે છે.
સંબંધિત લીંક
સંબંધિત કડીઓ
News and Events