આર્થિક વિકાસ
gr
હાટ બજાર યોજના
આદિવાસીઓની આર્થિક, સામાજિક અને અને વ્યવસાયિક પ્રવૃતિઓનો વિકાસ થાય તેમજ વેપાર ધંધા દ્વારા રોજગારી મળી રહે અને તેઓને જરૂરી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડી આર્થિક રીતે પગભર બનાવવાનો છે.
સરહદી ગામોમાં સુવિધાઓ
ગુજરાત રાજ્યની મોટી સંખ્યામાં આદિવાસી વસતિ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રની સરહદોથી જોડાયેલા વિસ્તારોમાં વસે છે. આ વિસ્તારો મુખ્યત્વે જંગલો, પર્વતો, અને અસમતલ ઊંચી નીંચી સપાટીવાળા મેદાનોની બનેલો છે.
હળપતિઓને સુવિધાઓ
હળપતિ જાતિએ ગુજરાતની અતિ પછાત અનુસૂચિત જનજાતિ છે. તેઓ દક્ષિણ ગુજરાતના મેદાની વિસ્તારોમાં છુટા છવાયા અન્ય બિનઆદિવાસી લોકોની વચ્ચે વસે છે.
આદિમજૂથોને સુવિધાઓ
ગુજરાતમાં પાંચ આદિમજૂથ સમુદાયો વસે છે જેમની વસતિ ૨૩,૪૭૯ પરિવારોની છે. અમદાવાદની આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર સંસ્થાએ તમામ આદિમજૂથ સમુદાયના પરિવારોની ઊંડાણપૂર્વકની મોજણી કરી છે.
માનવગરિમા
આદિવાસી પરિવારોને તેમના પરંપરાગત વ્યવસાય તેમજ અન્ય વ્યવસાયો માટે ઉપયોગી સુધારેલા ઓજારો અને સાધનસામગ્રીની જરૂર રહે છે.
વ્યવસાયિક તાલીમ
વ્યવસાયિક તાલીમની સંસ્થા સ્થાપવાની યોજના અંતર્ગત આદિવાસી વિસ્તારમાં શાળા છોડી દીધી હોય અને ઉચ્ચત્તર અભ્યાસ ન કરતા હોય તેવા બેરોજગાર યુવાનોને વિવિધ વ્યવસાયોમા તાલીમ આપી રોજગાર મેળવવા સક્ષમ બનાવવાના હેતુથી વ્યવસાયલક્ષી તાલીમ યોજના ભારત સરકાર દ્વારા ૧૦૦% કેન્દ્ર પુરસ્કૃત યોજના તરીકે મંજુર કરવામાં આવેલ છે.
કુંવરબાઈનું મામેરુ
કુટુંબની એક દીકરીના લગ્ન પ્રસંગે સરકાર તરફથી રૂ. ૧૦,૦૦૦ નો ચેક આપવામાં આવે છે.
સાત ફેરા સમૂહલગ્ન યોજના
આદિવાસી પરિવારો લગ્ન સમયે ધૂમ ખર્ચ કરે છે અને તેને કારણે ઘણીવાર તેમને દેવું કરવું પડે છે. આવા બિનજરૂરી ખર્ચને નાથવો જરૂરી છે.