સમરસ છાત્રાલય | શિક્ષણ | રાજ્યકક્ષાની યોજનાઓ | કાર્યક્રમો અને યોજનાઓ | આદિજાતિ વિકાસ કમિશ્નર

 

  • વિહંગાવલોકન | અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોના વિદ્યાર્થીઓને ગુજરાતના મોટા શહેરોમાં અભ્યાસ કરવા માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકારે સમરસ હોસ્ટેલની યોજના શરૂ કરી છે.
  • ઉદ્દેશ | રાજ્યના 9 મહાનગરોમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ જનજાતિઓ, અન્ય પછાત અને આર્થિક પછત વર્ગોના વિદ્યાર્થીઓ માટે નિવાસી સેવાઓ ઉપલબ્ધ કરવા માટે મેગા સમરસ હોસ્ટેલોનું નિર્માણ કરવું.
  • ભૌગોલિક ભૂમિભાગ | અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, આણંદ, રાજકોટ, કચ્છ-ભુજ, જામનગર, સાબરકાંઠા
  • અપેક્ષિત લાભાર્થીઓ | લગભગ ૩૭૫૦ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ
  • ક્ષમતા | અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર ખાતેના સમરસ છાત્રાલયોમાં પ્રત્યેક છાત્રાલયમાં ૧૦૦૦ કુમાર તથા ૧૦૦૦ કન્‍યાઓની ક્ષમતા રાખવામાં આવી છે, જામનગર ખાતેના સમરસ છાત્રાલયમાં ૫૦૦ કુમાર તથા ૫૦૦ કન્‍યાઓ, તેમજ આણંદ, કચ્છ, સાબરકાંઠા ખાતેના સમરસ છાત્રાલયમાં ૨૫૦ કુમાર અને ૨૫૦ કન્‍યાઓની ક્ષમતા રાખવામાં આવી છે.
  • યોજના હેઠળ લાભ | 'સ્ટેટ ઓફ આર્ટ' કક્ષાની સુવિધાઓ સાથે સુસજ્જ
  • નાણાકીય જોગવાઈ | રકારે વર્ષ ૨૦૨૦-૨૧ માટે સૈધ્ધાંતિક રીતે આ હોસ્ટેલો માટે રૂપિયા ૧૮૯૦.૬૫ લાખ મંજૂર કર્યા છે.
  • મુખ્ય સિદ્ધિઓ | હાલમાં ૯ સમરસ છાત્રાલયો કાર્યરત છે અને તેમાં અનુસુચિત જનજાતિના ૩૭૫૦ જેટલા વિદ્યાર્થીઓને રહેવા જમવાની અદ્યતન સુવિધા મળે છે.
News and Events