સરકારી છાત્રાલયો | શિક્ષણ | રાજ્યકક્ષાની યોજનાઓ | કાર્યક્રમો અને યોજનાઓ | આદિજાતિ વિકાસ કમિશ્નર

સરકારી છાત્રાલયો


 

  • વિહંગાવલોકન | જે વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં તેમજ કોલેજમાં અભ્યાસ કરી રહેલ છે. તેવા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે સરકારી છાત્રાલયો કાર્યરત છે.
  • ઉદ્દેશ | વિદ્યાર્થીઓને વિનામુલ્યે રહેવા જમવાની સુવિધા ઉપલબ્ધ કરવી.
  • પ્રારંભ | ૧૯૫૫-૫૬
  • સંચાલન | સરકાર દ્વારા સંચાલિત
  • ભૌગોલિક ભૂમિભાગ | બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, જામનગર, રાજકોટ, ભાવનગર, જુનાગઢ, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, મોરબી, કચ્છ-ભુજ.
  • અપેક્ષિત લાભાર્થીઓ | ધોરણ 8 થી 12, કોલેજમાં ભણતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ
  • પ્રવેશ માટેના માપદંડ | અનુસૂચિત જનજાતિના કુમાર માટે કુંટુંબની વાર્ષિક આવક રૂ. ૨.૫૦ લાખની આવક મર્યાદા છે. કન્યાઓ માટે કોઈ વાર્ષિક આવક મર્યાદા નથી. વળી, જે વિદ્યાર્થીઓ ૫૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવતા હશે તેમને મેરીટના ધોરણે છાત્રાલયમા પ્રવેશ આપવામાં આવે છે.
  • યોજના નીચે લાભ | વિનામુલ્યે રહેવા અને જમવાની સુવિધા
  • મુખ્ય સિદ્ધિઓ | હાલમાં ૧૬૫ સરકારી છાત્રાલયો કાર્યરત છે અને તેમાં ૧૬,૮૪૦ જેટલા વિદ્યાર્થીઓ માટે રહેવા જમવાની સુવિધા ઉપલબ્ધ છે.
News and Events