વિદ્યા સાધના યોજના (મફત સાયકલ) | શિક્ષણ | રાજ્યકક્ષાની યોજનાઓ | કાર્યક્રમો અને યોજનાઓ | આદિજાતિ વિકાસ કમિશ્નર

વિદ્યા સાધના યોજના (મફત સાયકલ)


 

  • વિહંગાવલોકન | ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દૂરના અંતરે આવેલી હોવાથી અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓમાં સામાન્યતઃ ધોરણ ૮ નો અભ્યાસ પૂર્ણ કર્યા પછી શિક્ષણ છોડી દેવાનું વલણ જોવા મળે છે.
  • ઉદ્દેશ | વિદ્યાર્થીનીઓએ ધોરણ ૮ પછી પણ શાળાકીય શિક્ષણ ચાલુ રાખવા અને શાળા તેમના રહેવાના સ્થળથી થોડાક કિ.મી. દૂર હોય તો પણ અભ્યાસ ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરવા.
  • પ્રારંભ | ૧૯૯૫
  • ભાગીદારી સંસ્થા | કોઈ નહિ
  • ભૌગોલિક ભૂમિભાગ | તમામ જિલ્લાઓ
  • અપેક્ષિત લાભાર્થીઓ | ધોરણ ૯ માં અભ્યાસ કરવાનો ઈરાદો ધરાવતી આદિવાસી કન્યાઓ
  • પાત્રતા માપદંડ | આ યોજનાનો લાભ મેળવવા માટે પરિવારની વાર્ષિક આવક ગ્રામીણ વિસ્તારમાં રૂ.૧૨૦,૦૦૦ સુધી અને શહેરી વિસ્તારમાં રૂ.૧૫૦,૦૦૦ સુધીની હોવી જોઈએ.
  • આ યોજના હેઠળ મળતા લાભ | ધો. ૯માં અભ્યાસ કરતી આદિવાસી વિદ્યાર્થીઓનીને વિના મૂલ્યે સાયકલ ભેટ આપવામાં છે.
  • સિદ્ધિ | ઘેરથી શાળાનું અંતર દૂર હોય તો પણ આદિવાસી વિદ્યાર્થીનીઓ પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકે છે. વર્ષ ૨૦૧૯-૨૦ માં ૪૬૯૯૨ વિદ્યાર્થીનીઓને લાભ આપવામાં આવેલ છે.
News and Events